HealthLifestyle

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કેલ્શિયમની ઉણપ માટે છે સૌથી અસરકારક

આપણા શરીરમાં વિવિધ પ્રકારના તત્વોની જરૂર પડે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. આ તત્વો આપણા શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. જેમાંથી કેલ્શિયમ એક મુખ્ય તત્વ છે. જે શરીરમાં હાડકા અને સાંધાની સમસ્યા માટે ઉપયોગી છે. આ માટે આપણે બધા દૂધનું સેવાના કરીને તેમાંથી આ કેલ્શીયમ મેળવીએ છીએ.

પરંતુ ઘણા લોકોને દૂધની એલર્જી પણ હોય છે. જેથી આવા લોકો દૂધ પીને દૂધમાંથી કેલ્શિયમ મેળવી શકતા નથી. ઘણા લોકોને દૂધ કે દુધની બનાવટોથી પણ એલર્જી હોય છે. જેથી દૂધમાંથી બનાવેલી કોઈ વસ્તુનું સેવન પણ કરી શકતા નથી. આવા સમયે દૂધની અવેજીમાં બીજો કોઈ ઉપાય શોધવો જોઈએ. કે જેમાંથી કેલ્શિયમ મળી શકે. આ રીતે કેલ્શિયમનાં એક સ્ત્રોત તરીકે રાગીનો ઉપાય તમને બતાવી રહ્યા છીએ. આ રાગી શરીરમાં કેલ્શિયમ જેવી જ અસર કરે છે.

જેનો ઉપયોગ કરવા માટે તમારે રાગીના લોટને પીસીને તેને ઘઉનાં લોટમાં 7:3 નાં ગુણોતરમાં ભેળવીને ઉપયોગમાં લેવી જોઈએ. જે તમારા માટે ખુબ જ લાભદાયી થાય છે. આ રાગીને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે.

રાગીની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ તેમજ ઘણા બધા પોષકતત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ લાભકારક છે. આ રાગી લાલ કલરની બોરના આકારની હોય છે. જે બજારમાંથી મેળવી શકાય છે.

આ રાગી શરીરમાં ઓસ્ટીયોપોરોસીસના જોખમ સામે રક્ષણ આપે છે. જે શરીરમાં કેલ્શિયમ આપે છે. આ કારણોસર તે હાડકામાં માટે ખુબ જ ઉપયોગી થાય છે. આ માટે તે જ હાડકાને મજબુત બનાવે છે. નિયમિત રીતે આહારમાં રાગીનું આ રીતે સેવન કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી નીવડે છે. આપણે નિયમિત રીતે જો ખોરાકમાં આ રીતે રાગીનું સેવન કરવામાં આવે તો શરીરમાં દાંત અને દાંતને લગતા રોગોને  ઠીક કરે છે.

આ રાગી શરીરમાં કોલેસ્ટ્રોલનાં સ્તરને ઘટાડે છે. શરીરમાં જયારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે શરીરમાં ઘણી તકલીફ ઉભી કરે છે. જયારે શરીરમાં બધારે પડતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં હ્રદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે. રાગીની અંદર ફાઈબર અને ફાયટીક એસીડ હોય છે. જે શરીરમાં રહેલ વધારાના કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે. અને જે જરૂરી હોય તેવા કોલેસ્ટ્રોલના નિર્માણને વધારે છે.

આજના સમયે ઘણા લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય છે. આજે દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન રહે છે. આ માટે રાગીનું નિયમિત સેવન અને શરીરમાં ગ્લુકોઝનાં સ્તરને વધારે છે. જે ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી થાય છે.

રાગીમાં આયર્ન નામનું તત્વ પણ હોય છે. જેનાથી તે શરીરમાં શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે શરીરમાં ગ્લુકોઝના સ્તરને વધારામાં મદદ કરે હે. ઘણી  સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા સમયે જોવા મળતી એનિમિયા નામની લોહીની ઉણપની બીમારી આનાથી ઠીક થઈ જાય છે.

આજના સમયે વ્યસ્ત જીવનમાં ઘણા લોકો તણાવમાં રહેતા હોય છે. ઘણા લોકો ધંધા, રોજગાર કે કોઈ અણબનાવ જેવી ઘટનાઓથી ટેન્શનમાં આવી જાય છે. જુએ પોતાના મગજ ઉપર કાબુ મેળવી શકતા નથી. જયારે તે આ રીતે જો રાગીનું સેવન કરવામાં આવે તો તે તણાવને૩ દૂર કરે છે.

આમ, રાગી એક ખુબ જ ઉપયોગી અને શરીરમાં ફાયદાકારક ઔષધી તરીકે કામ કરે છે. જેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરની કોઇપણ ઉપરોક્ત સમસ્યાને ઠીક કરે છે. આ સિવાય તે બીજી અનેક સમસ્યાઓને પણ મટાડે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *