આપણી આજુબાજુ અનેક એવી ખુબ જ અસરકારક ઔષધિઓ જોવા મળે છે, જેના ફાયદાઓ અને ઉપયોગો વિશે આપણે જરા પણ જાણતા નથી. આમાંથી ઘણો બધી ઔષધિઓ એવી હોય છે કે જેના ચમત્કારીક ફાયદાઓને લીધે તેની દવાઓ પણ બને છે. પરંતુ આપણે આ છોડમાંથી દવાઓ બને છે તેની પણ જાણકારી હોતી નથી.
આવી ઘણી બધી ઔષધીય વૃક્ષો દવા કરતા પણ વધારે અસરકારક હોય છે. આવી ઘણી બધી જ ઔષધિઓ શરીરમાં રહેલી ભયાનકમાં ભયાનક બીમારીઓને પણ દૂર કરવાની ક્ષમતા હોય છે. ઘણા રોગો એવા હોય છે કે જેનો આજસુધી કાયમી ઈલાજ મેડીકલ સાયન્સ પાસે નથી, જયારે આપણા આયુર્વેદમાં આવા અસાધ્ય રોગોને દૂર કરવાની ચાવીઓ છે. જેમાં આવી વનસ્પતિના ઉપયોગથી શરીરમાં રહેલી બીમારી જડમૂળથી નાશ થાય છે.
અમે આ આર્ટીકલમાં અમે આવી જ એક ચમત્કારિક ઔષધી વિશે જણાવી રહ્યા છીએ. આ ઔષધીનું નામ છે આકડો. આ આકડો નામનો છોડ ગામડાનો ઝાડી, ઝાંખરા અને વાડીઓના શેઢે તેમજ ખાલી વેરાન જગ્યામાં જોવા મળે છે.
આ છોડનો આયુર્વેદિક ગુણ કોઈ જાણતા નથી, પરંતુ આ છોડ ઘણા બધા જ રોગોનો રામબાણ છોડ છે. આ છોડને કોઈ પણ પશુ પક્ષીઓ ખાતા નથી. માટે અમુક જગ્યાએ વાતાવરણ મળતા જ ખુબ જ સારી રીતે ઉગી જાય છે. આપણે ત્યાં આકડાનો ઉપયોગ હનુમાનજી દાદાને આકડાના ફૂલની માળા બનાવીને ચડાવવામાં ઉપયોગ થાય છે.
આપણે ત્યાં બે પ્રકારના આકડાના છોડ મોટે ભાગે જોવા મળે છે. જેમાં એક પ્રકારે સફેદ આકડો આવે છે અને બીજા પ્રકારે રાતા ફૂલ વાળો આકડો આવે છે. આ આકડામાં આપણે ત્યાં ઘણા લોકો સફેદ આકડાને ઘર આંગણે વાવે છે જયારે રાતા ફૂલવાળો આકડો બધી જ જગ્યાએ આપમેળે ઉગે છે.
આકડાનો વ્યક્તિના શરીરમાં થતા દુખાવાને દૂર કરવામાં રામબાણ ઔષધી છે. આ છોડનો માત્ર એક વખત પ્રયોગ કરવાથી જ તેના પરિણામની અસર જોવા મળે છે. આ ઉપાય કરવાથી જડમૂળથી દર્દ ગાયબ થઈ જાય છે. આ ખુબ જ અસરકારક રામબાણ ઈલાજ તરીકે કાર્ય કરે છે.
આકડાના પાંદડા એક બાજુથી લીલા અને નીચેની બાજુ હળવા હળવા ભૂરા સફેદ રંગનું હોય છે. નીચેની બાજુના ભાગે પાંદડામાંથી તેની નસો ઉપસેલી હોય છે તેમજ ઉપરની બાજુ લીલા લીલા રંગનું પણ અને માત્ર તેની નસોના નિશાન દેખાય છે.
ઘણા લોકોને દમ અને અસ્થમા હોય છે. જેમાં ઘણા લોકોને વારંવાર ખાંસી કે ઉધરસ સતત આવ્યા કરે છે. જેના લીધે આવા લોકોના છાતીમાં અને ફેફસામાં પુષ્કળ પ્રમાણમાં સતત કફ રહેતો હોય છે. આ કફને પરિણામે આવા લોકોને છાતીમાં સતત દુખાવો રહ્યા કરે છે. જેનાથી દર્દી આવા દુખાવાથી સતત હંમેશા પરેશાન રહ્યા કરે છે. જેને દુખાવો થયા કરે છે. આ દુખાવાને દૂર કરવામાં આ આકડાના પાંદડા રામબાણ ઔષધિના રૂપમાં ભાગ ભજવે છે.
આ દુખાવાના સંપૂર્ણ ઈલાજ માટે પહેલા આકડાનો છોડ જ્યાં હોય ત્યાંથી તેના થોડાક પાંદડા તોડી લાવવા. આ પાંદડા તોડવા વખતે તેમાંથી દૂધ નીકળે છે. જે દૂધ આંખોમાં ન લાગે તે બાબતની કાળજી રાખવી. આ દૂધ આંખોમાં પડે તો આંખોને ગંભીર નુકશાન કરી શકે છે. માટે તેની કાળજી રાખવી જરૂરી છે. આ સિવાય મોટે ભાગે આ છોડ વાડ અને ઝાડી ઝાખરામાં જોવા મળે છે જેથી જીવજંતુ ન કરડે તે બાબતની કાળજી રાખવી.
આ પાંદડાને તોડીને તેને સરખી રીતે ધોઈ લેવા. આ પાંદડાને તોડીને તેને સરખી રીતે ધોઈ લેવા. કારણ કે તેના પર રહેલું દૂધ થોડી ઝેરી હોવાથી ચામડીના જે ભાગમાં રહે છે તે ભાગને તતડાવી નાખે છે. જે ભાગને અસર કરીને નુકશાન કરે છે.
આ પછી આકડાના પાંદડાને લઈને તેને એક એક કરીને બધાને સરખી રીતે ધોઈ લેવા. જેથી દૂધ અને બીજો કચરો અને રેષા વગેરે સરખી રીતે સાફ થઇ જાય. આ બાદ ગેસ કે ચૂલો ચાલુ કરીને તળી શકાય તેવી કડાઈ કે લોઢી લઈને તેને ચૂલા પર મુકવી.
આ પછી આ તળવાનાં આ વાસણમાં થોડીક માત્રામાં તેલ નાખવું અને તેલને ગરમ થવા દેવું. આ પછી તેમાં આ આકડાના પાંદડાને નીચેની નસો વાળો ભાગ ઉપર રહે તે રીતે આ પાંદડાને ઉંધા આ તેલ ભરેલા તળી શકાય તેવા વાસણમાં મુકવા. થોડીવાર આ પાંદડા રહેવા દેવાથી તેના પાંદડા તળાય જશે.
આ પછી આં વાસણમાંથી પાંદડા શેકાય જાય પછી કાઢી લેવા અને તેના અને તેલને થોડું ઠંડું થવા દેવું. આ તેલને હાથ વડે લગાવી શકાય તેવું ગરમ રહે ત્યારે તેમાં આંગળા નાખીને તેની વાના દુખાવા પર હળવી માલીશ કરી લેવી. આ પછી વાના દર્દ પર હળવા હળવા પાંદડાને નસો વાળો ભાગ ઉપર રહે તે રીતે તેની સાંધા ઉપર મૂકી દેવા. આ બધા જ પાંદડા વાના દુખાવા પર રાખ્યા બાદ તેને ઢાકી દેવા. અડધો કલાક સુધી આ જગ્યા પર રાખી મુકવાથી ફેફસાને પૂરી રીતે ગરમી મળે છે. આ ઉપાય કરવાથી વાનો રોગ ઠીક થાય છે.
આ સિવાય આ પાંદડા ગરમ કરેલું તેલ સાંધામાં દુખાવો હોય, સાંધામાં તકલીફ થતી હોય, કેડ, કમર કે એડીનો કે શરીરના ગોઠણનો દુખાવો હોય જેવા બધા જ દુખાવામાં આ પ્રયોગ ઉપયોગી થાય છે. આ રીતે ઉપરોકત બતાવ્યા પ્રમાણે તેલને ગરમ કરીને તે તેલથી સાંધામાં લગાડવું. આ તેલ લગાડ્યા બાદ આકડાના પાંદડાને સાંધામાં આ ભાગ ઉપર આ સરખી રીતે બાંધીને લગાવી દેવા. આ લગાડી દીધા બાદ સારી રીતે ઉપર પાટો બાંધી દેવો કે જેનાથી સાંધાના દુખાવા, સ્નાયુઓના દુખાવા મટે છે.
આ સિવાય આ ઉપાય કરવાથી સાંધામાં ઘણી વખત ઉઠવા બેસવામાં કે ચાલવામાં ઘણા લોકોને કટકટ અવાજ આવે છે, જે અવાજ ઠીક થાય છે. દુખાવો પણ ગાયબ થઇ જાય છે. આ રીતે આ પાંદડાને એક રાત્રી માટે બાંધીને રાખી દેવાથી સવારે ઉઠીને જોતા સાંધામાં રહેલો દુખાવો પૂરી રીતે ગાયબ થઈ ગયેલો હશે. સાંધાના સ્નાયુઓમાં જે ગ્રીસ જેવો પદાર્થ ગાયબ થયો હશે તે પણ ફરી વખત આ સાંધાના સ્નાયુઓમાં આવે છે.
આ રીતે આકડાના પાંદડાથી કમરનો દુખાવો, સાયટીકાનો દુખાવો, એડીનો દુખાવો, ઘુટણનો દુખાવો વગેરે દુખાવાને ઠીક કરે છે. આમ આ વાના દુખાવામાં અને સાંધાના દુખાવામાં આકડાને રામબાણ માનવામાં આવે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા શરીરમાં રહેલા અસહય દર્દને દૂર કરે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.